દોસ્તો આજના આ લેખમાં અમે તમને અળસીનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. અળસીની તાસિર ગરમ હોય છે પંરતુ તમે તેનો ઉપયોગ કોઈપણ ઋતુમાં કરી શકો છો.
અળસીનું સેવન વિભિન્ન પ્રકારની બીમારીઓ અને સંક્રમણ ના ભયથી છુટકારો અપાવવા માટે કરી શકાય છે, જેના લીધે શરીર ને નિરોગી રહેવામાં મદદ મળે છે.
અળસીમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણો મળી આવે છે, જેનાથી શરીરને સ્વસ્થ રહેવામાં મદદ મળી શકે છે. અળસી માં પ્રોટીન, ઊર્જા, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, આયરન, કેલ્શિયમ, સુગર, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, કોપર, મેગ્નેશિયમ, સોડિયમ, સેલેનિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.
તમારે તેનો ઉપયોગ કરવા માટે આશરે 5થી 7 મિનિટ સુધી શેકીને તેનો પાવડર બનાવી લેવો જોઈએ. ત્યારબાદ આ પાવડરને એક ગ્લાસ હલકા ગરમ પાણીમાં મિક્સ કરીને સેવન કરવું જોઈએ.
શેકેલી અળસીનું સેવન કરવાથી હૃદય સાથે જોડાયેલી બીમારીઓ નો ભય ઓછો કરવામાં મદદ મળી શકે છે. હકીકતમાં અળસી માં ઓમેગા 3 ફેટી એસિડ મળી આવે છે, જેનાથી કોલેસ્ટ્રોલ ના સ્તરને ઓછું કરવામાં મદદ મળી શકે છે. જેનાથી તમને હાર્ટ એટેક આવવાનો ભય રહેતો નથી.
શેકેલી અળસીનું સેવન કરવાથી ઘણા પ્રકારના કેન્સરના ભયથી બચી શકાય છે. અળસીમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જેનાથી પ્રોસ્ટેટ કેન્સર, બ્લડ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર થી છુટકારો મળી શકે છે.
આ સિવાય અળસી માં મળી આવતા એન્ટિઓક્સિડન્ટ્સ રેડિકલ સામે લડીને ત્વચાના કેન્સરના ભયથી બચાવે છે. શેકેલી અળસીનું સેવન કરવાથી પાચન ક્રિયાને મજબૂત કરી શકાય.
જેનાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થતી નથી. હકીકતમાં અળસી માં ફાઈબરની પર્યાપ્ત માત્રામાં મળી આવે છે, જેનાથી પેટ સંબંધી બીમારીઓ નો ભય ખૂબ જ ઓછો થઈ જાય છે.
એક શોધ પ્રમાણે અળસીમાં મળી આવતું સોલ્યુબલ ફાઈબર પાચનતંત્રને બહેતર બનાવવા માટે કામ કરે છે. જેનાથી કબજિયાત, અપચો અને એસીડીટી ની સાથે સાથે ડાયરિયા જેવી બીમારીઓ થવાનો ભય પણ રહેતો નથી.
શેકેલી અળસી નો ઉપયોગ કરવાથી ડાયાબિટીસ જેવી બીમારીઓના લક્ષણો પણ ઓછા કરવામાં આસાની રહે છે. અળસીમાં એન્ટી ડાયાબીટીક ગુણ મળી આવે છે, તેનાથી બ્લડશુગર ઓછું કરવામાં મદદ મળે છે.
એક શોધ પ્રમાણે દરરોજ એક મહિના સુધી નિયમિત રૂપે તેનું સેવન કરવામાં આવે તો શરીરમાં શુગરની માત્રા ઓછી કરી શકાય છે. જેના લીધે ડાયાબિટીસનો ખતરો થવાનો ભય રહેતો નથી.
શેકેલી અળસીનું સેવન કરવાથી યૌન સંબંધી સમસ્યાઓ થી છુટકારો મળી શકે છે. જેનાથી પુરુષોને ફાયદા મળી શકે છે. દરરોજ તેનું સેવન કરવાથી મહિલાઓને માસિક ધર્મ સાથે જોડાયેલી અનિયમિતતાની સમસ્યા થી છુટકારો મળે છે.
હકીકતમાં શેકેલી અળસીનું સેવન કરવાથી શરીરમાં હોર્મોન્સનું સંતુલન થાય છે. જેના લીધે મહિલાઓને નિયમિત માસિક આવે છે અને દુખાવાની સમસ્યા પણ થતી નથી.
નિયમિત રૂપે શેકેલી અળસીનું સેવન કરવાથી શરદી અને તાવ ની સમસ્યાથી રાહત મળી શકે છે. હકીકતમાં અળસી ની તાસીર ગરમ હોય છે. જેનાથી ગળા અને શ્વાસ નળીમાં જમા થઈ ગયેલો કફ બહાર નીકળવામાં મદદ મળે છે.