દોસ્તો આજ પહેલા તમે ઘણી વખત પોતાના ભોજનમાં લસણનો ઉપયોગ કર્યો હશે. જે ભોજનનો સ્વાદ અનેકગણો વધારી દે છે, જેમાં ઘણા બધા ઔષધિય ગુણોમાં મળી આવતા હોવાને કારણે તેનો ઉપયોગ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ કરવામાં આવતો હોય છે પરંતુ શું તમે જાણો છો કે સફેદ લસણની સરખામણીમાં કાળા લસણમાં વધારે ઔષધિય ગુણ મળી આવે છે, જેનો ઉપયોગ કરીને તમે ઘણા પ્રકારના રોગો થી દુર રહી શકો છો. હકીકતમાં કાળા લસણમાં એન્ટી તત્વ મળી આવે છે, જે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરીને અને વાયરલ રોગોથી દુર રાખે છે. આ સાથે પણ તેના સેવનથી ઘણા રોગો દૂર થઈ શકે છે.
જો આપણે કાળા લસણમાં મળી આવતા પોષક તત્વો વિશે વાત કરીએ તો તેમાં પ્રોટીન, વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ, કેલ્શિયમ, ઝીંક વગેરે જેવા પોષક તત્વ મળી આવે છે. જે આપણા શરીરની ઊણપને દૂર કરીને તેને સ્વસ્થ બનાવે છે.
એક રિપોર્ટ અનુસાર કાળા લસણનો ઉપયોગ કરીને હૃદય સાથે જોડાયેલા બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. હકીકતમાં તેમાં એલિસિન નામનું પોષક તત્વ મળી આવે છે, જે આપણા હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને લોહીને પાતળું બનાવે છે. જેનાથી હૃદય સાથે જોડાયેલા રોગોનો પણ સામનો કરવો પડતો નથી.
તમે ધ્યાન આપ્યું હોય તો મોટાભાગના લોકો ધમનીઓ લોહી પાતળું થવા ને કારણે બ્લોક થઈ જતી હોય છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થઇ શકતું નથી પરંતુ જ્યારે તમે કાળા લસણનો ઉપયોગ કરવા લાગો છો ત્યારે શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થવા લાગે છે અને ધમનીઓનું બ્લોકેજ પણ થતું નથી.
કાળા લસણમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ તત્વો મળી આવે છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા મુખ્ય ભૂમિકા ભજવે છે. આ સાથે તેમાં એન્ટી ડાયાબીટીક ગુણો પણ હોય છે, જે લોહીમાં બ્લડશુગરને વધવા દેતું નથી અને ડાયાબિટીસ જેવી સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવામાં મદદ કરે છે.
તમને જણાવી દઇએ કે કાળું લસણ સફેદ લસણનો આથો કરીને તૈયાર કરવામાં આવે છે. જેના લીધે તેમાં મળી આવતા પોષક તત્વો કાયમી ધોરણે વધી જાય છે. જેનાથી તમે ઘણા રોગોથી દૂર રહી શકો છો. જો તમે કેન્સર થી પીડાઈ રહ્યા છો તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.