દોસ્તો સમગ્ર ભારત દેશમાં તમને અમુક અમુક અંતરે લીમડાનું ઝાડ અવશ્ય જોવા મળી જાય છે. લીમડો સ્વાદમાં ભલે કડવો હોય પરંતુ આપણા શરીરને ઠંડક આપે છે. આ સાથે તેમાં રહેલા પોષક તત્વો આપણા શરીરની વિવિધ પ્રકારની બીમારીઓથી આપવામાં મદદ કરે છે.
આજ કારણ છે કે આયુર્વેદમાં લીમડાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આપણા શરીરમાં જ્યારે ઝેર યુક્ત પદાર્થો વધી જાય છે ત્યારે વિવિધ પ્રકારની બીમારીઓ જન્મ લેતી હોય છે પણ જો તમે લીમડા નો ઉકાળો બનાવીને પીવા લાગશો.
આપણા શરીરમાંથી ટોક્સિન સ્વરૂપે રહેલી ઝેરી વસ્તુઓ બહાર નીકળી શકે છે અને આપણને સ્વસ્થ અને સાફ શરીર મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે નપુંસકતા ની સમસ્યા દૂર કરવા માટે પણ લીમડો ખૂબ ગુણકારી માનવામાં આવે છે.
લીમડાની છાલ, પાન, ફળ અને ફૂલ સહિત બધા જ વસ્તુઓ દવાની જેમ કામ કરે છે. જે લોકો ધાધર, ખંજવાળ વગેરેની સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છે તેવા લોકોએ લીમડાના પાનને પાણી ઉમેરીને સ્નાન કરવું જોઈએ.
લીમડાના પાનની પેસ્ટ બનાવીને અસરગ્રસ્ત જગ્યાએ લગાવી જોઈએ. આ ઉપાય કરવાથી એક ધાધર ખંજવાળની સમસ્યા દૂર થાય છે. મેલેરીયા ની સમસ્યા દૂર કરવા માટે પણ લીમડો કામ કરે છે.
હકીકતમાં લીમડાના પત્તાને ઉકાળા સ્વરૂપે લેવાથી મેલેરિયા ની સમસ્યા દૂર થાય જ છે સાથે સાથે વારંવાર ઉલટી આવવાની સમસ્યાથી પણ રાહત મળે છે. જો તમને કોઈ જગ્યાએ વાગ્યું છે.
રૂઝ આવી રહી નથી તો તમારે લીમડાના પત્તા નો લેપ બનાવી લેવો જોઇએ અને તેને અસરગ્રસ્ત જગ્યાએ લગાવવો જોઈએ. જેનાથી તમારી સમસ્યા દૂર ભાગશે. જો તમારા દાંતમાં દુખાવો અથવા દુર્ગંધની સમસ્યા રહેતી હોય તો તમારે પ્લાસ્ટિકના બ્રશ ને બદલે લીમડાનું દાતણ કરવાનું પસંદ કરવું જોઇએ.
કારણ કે લીમડામાં એવા તત્વ મળી આવે છે જે આપણા દાંતને મજબૂત બનાવવાની સાથે સાથે મોઢાની દુર્ગંધ પણ રાહત આપે છે. જો તમે એક સપ્તાહમાં ત્રણથી ચાર વખત લીમડાનું દાતણ કરો છો તો તમારા દાંત એકદમ મજબૂત બની જાય છે.
જો તમારા કાન માંથી રસી નીકળતી હોય તો તમારે લોબાન અને લીમડાના પાનને મિક્સ કરીને તેલ બનાવી લેવું જોઇએ અને આ તેલના બે ટીપા કાનમાં નાખવાં જોઈએ. જેનાથી દાંત નો દુખાવો દૂર થાય છે.
જે લોકોની પુરુષાર્થ શક્તિ ઓછી થઈ ગઈ છે અને તેઓ નપુંસકતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવા લોકોએ પણ લીમડાનાં પાનનું સેવન કરવું જોઈએ.