દોસ્તો સામાન્ય રીતે આજના સમયમાં ઉંમર વધવાની સાથે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા નો પણ સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યા એવી છે કે જેનાથી બહુ જલ્દી છુટકારો મેળવી શકાતો નથી અને કોઈ વ્યક્તિ તેનો શિકાર બની જાય તો તેનાથી આરામ મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે.
આમ તો આ સમસ્યાથી પીડિત લોકોને દુખાવાને દૂર કરવાની કોઈ દવા મળી આવતી નથી. જ્યારે આપણા શરીરમાં વાત પ્રક્રિયા વધી જાય છે ત્યારે આ સમસ્યા આપણને હેરાન કરતી હોય છે.
જો આપણે વિવિધ પ્રકારના દુખાવા વિશે વાત કરીએ તો તેમાં ગોઠણ નો દુખાવો, કમરનો દુખાવો, ઢીંચણનો દુખાવો, સાંધાનો દુખાવો, એડીનો દુખાવો, પગનો દુખાવો વગેરે પ્રકારના દુખાવા થતા હોય છે.
જ્યારે આપણા શરીરમાં આ સમસ્યા અમુક અંશ કરતાં વધી જાય છે ત્યારે તે ખૂબ જ અસહ્ય બની જાય છે અને તેનાથી છુટકારો મેળવવા માટે જ્યારે આપણે ડોકટર પાસે જઈએ છીએ ત્યારે તેઓ આપણને ઓપરેશન કરવાની સલાહ આપતા હોય છે પરંતુ તમે કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવીને આ પ્રકારની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો અને તમે આસાનીથી આ સમસ્યાથી રાહત મળે છે.
આ માટે તમારે સૌથી પહેલા પારિજાતના સાત પાન લેવાના છે અને નાગોડ ના પાંચ સુકા પાન લેવાના છે. ત્યાર બાદ તમારે પારિજાતના સાત પાનને મિક્સરમાં પીસી લેવાના છે. આ પછી તેની એક પોસ્ટમાં એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે.
નાગોડ ના પાન ને પણ નાના-નાના ટુકડા કરીને આ ગ્લાસમાં ઉમેરી લેવાના છે એટલે કે એક ગ્લાસ પાણીમાં પારિજાતના પાનની પેસ્ટ લઈને નાગોદ ના પાન તેમાં રાતે મિક્સ કરીને મુકી દેવાના રહેશે. ત્યારબાદ સવારે ઉઠીને તમારે તેને ઉકાળી લેવું જોઇએ અને જે પાણી વધે તેનું સેવન કરવું જોઈએ.
જો તમે આમ થોડા દિવસો માટે કરશો તો તમે સાંધાના દુખાવાથી તાત્કાલિક ધોરણે રાહત મરી જશે. વળી આ ઉપાય ખૂબ જ હોવાને કારણે તેમને આસાનીથી છુટકારો મળે છે.
આ સિવાય તમે અંજીરનો ઉપયોગ કરીને પણ સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો. કારણ કે અંજીરમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે. જે સાંધાના દુખાવાને દૂર કરવા માટે કામ કરે છે.
આ માટે તમારે રાતે એક ગ્લાસ પાણીમાં અંજીર પલાળી દેવાના રહેશે અને પલાળેલા અંજીરને દૂધમાં મિક્સ કરીને પી લેવું જોઈએ.
આ આયુર્વેદિક ઉપાય કરવાથી સાંધાના દુખાવાથી તાત્કાલિક ધોરણે રાહત મળશે અને જૂનામાં જૂનું સાંધાનો દુખાવો દૂર થઇ જશે.