મિત્રો આજના સમયમાં દરેક વ્યક્તિને કોઈ ને કોઈ બીમારી તો હોય જ છે. દોડધામ ભરેલી જીવનશૈલીના કારણે લોકો કેટલીક બીમારીનો શિકાર બની જાય છે. આજે તમને આવી જ એક બિમારીના ઉપાય વિશે જણાવીએ. આ બીમારી છે પથરીની.
જ્યારે આપણા શરીરમાં મિનરલ્સ અને ક્ષાર જામી જાય છે ત્યારે તો તે પથરી નુ સ્વરુપ લઈ જ લે છે. આ રીતે થતી પથરી મગની દાળના દાણા થી લઈને ટેનિસ બોલ જેટલી હોઈ શકે છે.
કેટલાક લોકોને પથરી કિડની માં હોય છે તો કેટલાકને પેશાબ ની કોથળી માં થાય છે. તો વળી કેટલાક લોકોને પેશાબની નળીમાં પથરી થાય છે. પથરી કોઇ ગંભીર બિમારી નથી પરંતુ જો સમયસર તેનો ઇલાજ કરવામાં ન આવે તો તે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.
જ્યારે શરીરમાં સોડિયમ વધી જાય છે તો કિડની નો નિકાલ કરે છે. પરંતુ કોઇ કારણોસર કિડનીની કાર્યક્ષમતા ઘટે ત્યારે શરીરમાં સોડિયમની માત્રા વધે છે અને ધીરે-ધીરે તે કિડનીમાં પથરી બનવા લાગે છે.
સૌથી વધારે પથરી માંસાહાર કરતા લોકોને વધુ થાય છે. માંસ અને મટન નું વધારે પ્રમાણમાં સેવન કરવાથી પથરી બનવા લાગે છે. જો પથરી નાની હોય તો પેશાબ વાટે બહાર નીકળી જાય છે તેના માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પથરી થાય ત્યારે પેટમાં અસહ્ય દુખાવો થાય છે. શરીરની કોઈ એક બાજુએ ખૂબ જ દુખાવો થતો હોય તો તે પથરી હોઈ શકે છે.
પથારીમાં પેશાબ કરતી વખતે બળતરા થવી, પેશાબ માં લોહી આવવું, પેશાબમાં દુર્ગંધ આવવી, બળતરા થવી, પેશાબ એકદમ પીડો આવવો વગેરે લક્ષણો જોવા મળે છે. સાથે જ કમરના ભાગે સખત દુખાવો રહે છે.
કિડની હોય ત્યારે કમરની પાછળ ની તરફ ખૂબ જ દુખાવો થાય છે. જ્યારે પિત્તાશયમાં પથરી હોય તો પડખામાં દુખાવો થાય છે. પથરી થાય ત્યારે સૌથી પહેલા તો માંસ મટન નું સેવન બંધ કરવું જોઈએ અને પાન મસાલા ખાવાનું બંધ કરવો.
પથરીની તકલીફ હોય તો રોજ નિયમિત રીતે ખાલી પેટ એક સફરજનનો જ્યુસ પીવો જોઇએ. ખાલી પેટ સફરજનનો જ્યૂસ પીવાથી કિડની ની પથરી, પિત્તાશયની પથરી અને પેશાબની નળીમાં હોય તેવી પથરી બહાર નીકળી જાય છે.
આ સિવાય લીલા નાળીયેરનું પાણી લઈ તેમાં એક ચમચી લીંબુનો રસ મેળવીને સવારે ખાલી પેટે પીવાથી પથરી શરીરમાંથી દૂર થાય છે. પથરીમાં નારીયલ પીવાથી ખૂબ જ સારા પરિણામ મળે છે.
રોજ એક ગ્લાસ પાણીમાં બે ચમચી કળથી ઉમેરીને સવારે પીવાથી પથરીમાં થી છુટકારો મળે છે. આ ઉપાય નિયમિત રીતે કરવાથી 10 થી 11 એમએમની પથરી પણ ઓપરેશન વગર નીકળી જાય છે.