વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે જેના કારણે તેમને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. નાની ઉંમરમાં થતી કેટલીક સમસ્યાઓ પાછળ ખાણીપીણી અને ખરાબ જીવનશૈલી જવાબદાર હોય છે તેવામાં આજે આવી જ એક ગંભીર સમસ્યાનો કાયમી નિરાકરણ એક ઘરગથ્થુ ઉપચારથી કરવાની રીત જણાવીએ.
ઘણા લોકોને નસ બ્લોક થઇ જવાની સમસ્યા સતાવતી હોય છે. જ્યારે શરીરના કોઈપણ ભાગમાં નસ બ્લોક થઈ જાય છે તો તે જગ્યા પર ગાંઠ બનવા લાગે છે અથવા તો નસ ઉપર સોજો થઇ જાય છે.
જો હૃદયને લોહી પહોંચાડતી નસ બ્લોકેજ થાય તો હાર્ટ અટેક થવાનું જોખમ વધી જાય છે. ત્યારે આજે તમને બ્લોક થયેલી નસને ખોલવાનું ઘરગથ્થુ ઉપચાર જણાવીએ.
આ ઔષધી બનાવવા માટે તમને એક ગ્રામ તજ, 10 ગ્રામ કાળા મરી, 10 ગ્રામ તમાલપત્ર, 10 ગ્રામ મગજતરી, 10 ગ્રામ સાકર, 10 ગ્રામ અખરોટ અને 10 ગ્રામ અળસી ની જરૂર પડશે. આ બધી જ વસ્તુને મીક્ષરમાં પીસી તેનો પાઉડર બનાવી લેવો.
આ પાવડરને રોજ સવારે પાણી સાથે લેવાનો છે. આ પાવડર નું સેવન ખાલી પેટ કરવાનું છે અને પાવડર લીધા પછી એક કલાક સુધી કંઈ પણ ખાવા પીવાનું નથી.
જો આ ઉપાય કરી શકાય તેમ ન હોય તો હળદર ના ઉપયોગ થી પણ તમે બ્લોક નસ ને ખોલી શકો છો. હળદરમાં એંટી ઓક્સીડેંટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે શરીરમાં લોહીને ઘટ્ટ થતું અટકાવે છે અને લોહીને પાતળું કરે છે. તેનાથી નસ બ્લોક થવાની સમસ્યા રહેતી નથી.
તેના માટે હૂંફાળા દૂધમાં હળદર અને મધ ઉમેરીને પીવાનું છે. આ સાથે જ લસણની કળીને શેકીને ખાઈ લેવાથી બ્લોક નસ ની તકલીફ રહેતી નથી.
નિયમિત રીતે જો તમે દાડમના રસનું સેવન કરો છો તો તેનાથી પણ લોહી પાતળું થાય છે. દાડમનો રસ પીવાથી એનિમિયાની તકલીફ પણ મટે છે.
શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી ગયું હોય અને તેના કારણે નસ બ્લોક થતી હોય તો ભોજનમાં લાલ કેપ્સિકમ નો સમાવેશ કરવો જોઈએ. તેનાથી શરીરમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. જેના કારણે હૃદય સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે અને બ્લોક થયેલી નશો પણ ખુલી જાય છે.