આપણા શરીરમાં રહેલા દરેક અંગનું વિશેષ મહત્વ છે. શરીરનું દરેક અંગ પોતાની રીતે યોગ્ય ક્યારેય કરે છે તેના કારણે જ શરીર સ્વસ્થ રહે છે અને હાલતું ચાલતું રહે છે. જો કોઈ અંગ ખરાબ થાય તો તેની અસર આપણા સ્વાસ્થ્ય પર દેખાવા લાગે છે. આવું જ મહત્વનું અંગ આપણા આંતરડા છે.
આતરડા આપણા સ્વાસ્થ્યને સારું રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો આંતરડામાં કોઇ પણ પ્રકારની ખામી સર્જાય તો તેની સીધી અસર આપણા શરીર પર થાય છે.
જો આતરડા બરાબર સાફ ન થાય તો પેટના રોગ થવાની શરૂઆત થઇ જાય છે. તેથી જ આંતરડા બાબતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ.આપણું શરીર યોગ્ય રીતે કામ કરે તે માટે આંતરડા સ્વસ્થ રહે તે જરૂરી છે.
આંતરડામાં કોઇ ખામી સર્જાય તો તેની અસર શરીર પર થાય છે. પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેની પૂરતી કાળજી લેવી જરૂરી છે કારણ કે જો પેટની તકલીફ નો ઉપચાર કરવામાં ન આવે તો સમસ્યા વધી શકે છે.
રોજ પેટ સાફ ન આવે તો આપણા શરીરમાં કેટલાક રોગ થઈ શકે છે. તેથી આજે તમને આંતરડાની સફાઈ કર તો ઘરગથ્થુ ઉપચાર જણાવીએ. આ ઉપચાર કરવાથી પંદર જ દિવસમાં પેટના બધા જ રોગ દૂર થઈ જાય છે. પંદર દિવસ નિયમિત આ પ્રયોગ કર્યા પછી તમારે મહિનામાં બે વખત તેનો પ્રયોગ કરવાનો છે.
આ ઉપાય કરવા માટે તમારે 5 ગ્રામ ત્રિફળા પાઉડરને એક ચમચી મધ સાથે બરાબર મિક્ષ કરી લેવું. ત્યાર પછી તેમાં થોડું નવશેકું પાણી ઉમેરવું. આ મિશ્રણને રોજ રાતે સૂતા પહેલા પી જવાનું છે.
જો કબજિયાત જૂની હોય તો આ પ્રયોગ થોડા દિવસ માટે રોજ કરવો. અન્યથા જ ફક્ત આંતરડાની સફાઈ કરવી હોય તો પંદર દિવસે એક વખત આ પ્રયોગ કરી લેવો.
આ ઉપાય કરવાથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી. જેમને કબજિયાત ની તકલીફ ન હોય તેમણે આ ઉપાય દરરોજ ન કરવો. 15 દિવસે એક વખત આ ઉપાય કરી લેવાથી ગેસ એસિડિટી અપચો વગેરે દૂર થાય છે કારણ કે તેનાથી આંતરડા સાફ થઈ જાય છે.
આંતરડાની સફાઈ માટે તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે હુંફાળા ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને સવારે તેનું સેવન કરવું આ ઉપાય એકદમ કારગર છે કે તેનાથી આડઅસર વિના આંતરડા સાફ થાય છે.
આંતરડાની સફાઈ ઉપરાંત આ ઉપાય કરવાથી શરીરનું વજન પણ ઘટે છે. સવારે ખાલી પેટ હુંફાળા પાણીમાં લીંબુ ઉમેરીને પીવાથી શરીરમાં જામેલી ચરબી પણ ઘટાડે છે.