આયુર્વેદમાં અઢળક ઔષધીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઔષધીઓનો ઉપયોગ યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરવામાં આવે તો શરીરમાંથી રોગ સરળતાથી દુર થઈ જાય છે.
તેના માટે દવા લેવી પડતી નથી. ખાસ વાત એ છે કે આ ઔષધીઓ સરળતાથી મળી રહે છે અને તેના કારણે કોઈ આડઅસર પણ થતી નથી.
આજે તમને આવી એક ચમત્કારી વસ્તુ વિશે જણાવીએ. આ વસ્તુ છે ગરમ પાણી. ગરમ પાણીનું સેવન કરવાથી શરીરને અઢળક લાભ થાય છે.
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ રોજ રાત્રે તમે એક ગ્લાસ ગરમ પાણી પી લેશો તો પણ શરીરમાંથી અનેક બીમારી દુર થઈ જાય છે.
તેના માટે તમારે સુતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાનું છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે અને સાથે જ અનેક લાભ થાય છે. કયા કયા ફાયદા થાય છે તે પણ જાણી લો.
પાચનશક્તિ નબળી હોય અથવા ભોજન બરાબર પચતું ન હોય તો શરીરમાં પેટ સંબંધિત સમસ્યા થાય છે. આ સમસ્યા અને પાચન શક્તિને સુધારવા માટે રાત્રે સુતા પહેલા ગરમ પાણી પીવું જોઈએ. ગરમ પાણી રાત્રે પીવાથી પેટ સાફ આવે છે અને કબજિયાત, એસિડીટી મટે છે.
ગરમ પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે. આ જ કારણ છે કે સવારથી શરીર સ્ફુર્તીવાળુ રહે છે અને દરેક કામ સરળતાથી કરી શકાય છે. આ પાણી પીવાથી થાક, નબળાઈ, આળસ દુર થાય છે.
રોજ રાત્રે જમ્યા પછી નવશેકું ગરમ પાણી પીવું જોઈએ. આ પાણી પીવાથી વધારે વજન પણ ઘટે છે. તેનાથી શરીરમાં જામેલી ચરબી ઓગળે છે.
ચરબી ઉતારવી હોય તો ભોજન સાથે હુંફાળુ પાણી પીવાનું રાખો. તેનાથી પાચન સુધરે છે અને પેટ, કમર પર જામેલી ચરબી ઉતરે છે. તેનાથી વજન પણ વધતું અટકે છે.
જો ચિંતા અને સ્ટ્રેસ વધારે રહેતા હોય તો ગરમ પાણી પીવું જોઈએ. તેનાથી નર્વસ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે અને હતાશા દુર થાય છે. સાથે જ મગજ પણ સારી રીતે કામ કરે છે.
જો વારંવાર શરદી અને ઉધરસ થઈ જતા હોય ત્યારે પણ ગરમ પાણી પીવાનું રાખવું જોઈએ. તેનાથી ઈમ્યુનીટી વધે છે અને વાયરલ બીમારીઓ મટે છે. માથાનો દુખાવો પણ ગરમ પાણી પીવાથી મટે છે.