વર્તમાન સમયમાં ડાયાબિટીસ એક ખૂબ જ સામાન્ય બીમારી થઈ ગઈ છે. સામાન્ય એટલે કે આ બીમારીના દર્દી ઘરે ઘરમાં જોવા મળે છે. ડાયાબિટીસ ખૂબ જ ગંભીર બીમારી છે. તેના કારણે જીવનું જોખમ ઊભું થઈ જાય છે.
હાલ તો લોકોની જીવનશૈલી એટલી ખરાબ થઈ ગઈ છે કે ચાલીસની ઉંમરના વ્યક્તિને પણ ડાયાબિટીસ હોય છે.એકવાર ડાયાબિટીસ શરીરમાં આવી જાય તો તેના પછી અન્ય બીમારીઓ પણ વધવા લાગે છે.
જો ડાયાબિટીસમાં કાળજી લેવામાં ન આવે તો આ રોગ જીવલેણ પણ બની શકે છે. ડાયાબિટીસ થાય એટલે સૌથી પહેલા ખાંડ અને ગળાશવાળી વસ્તુઓ ખાવાનું છોડવું પડે છે.
પરંતુ કહેવાય છે ને કે જે વસ્તુની ના હોય તે કરવાનું વધારે મન થાય છે. આવી જ રીતે તેને ડાયાબિટીસ થાય છે તેને વધારે પ્રમાણમાં મીઠાશ ખાવાની ઈચ્છા થતી રહે છે. તેમાં પણ ગુજરાતીઓ નું ભોજન તો મીઠાઈ વિના અધૂરું હોય. આવી સ્થિતિમાં આજે તમને એક ખૂબ જ સરળ રસ્તો દેખાડીએ.
આ રસ્તો અપનાવશો તો તમારે ડાયાબીટિસ હોવા છતાં પણ મીઠાઈ ખાવાનું છોડવું નહીં પડે. તેના માટે તમારે ખાલી મીઠાઈમાં ખાંડને બદલે આ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. જો તમે ખાંડને બદલે આ વસ્તુઓ લેવાનું રાખશો તો ડાયાબિટીસ વધશે નહીં અને સ્વાસ્થ્યને પણ નુકસાન નહીં થાય.
ખાંડને બદલે ઉપયોગમાં લઈ શકાય અને સ્વાસ્થ્યને નુકસાન ન કરે તેવી પહેલી વસ્તુ છે મિસરી. મિસરીને બૂરુ ખાંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલાના સમયમાં તો ખાંડને બદલે મિસરીનો જ ઉપયોગ થતો. એટલે જ તો આપણા વડવાઓ માં ડાયાબિટીસનો રોગ જ ન હતો. ડાયાબીટીસની તકલીફ હોય તો ખાંડને બદલે ચા-કોફી અને મીઠાઈમાં મિસરીનો ઉપયોગ કરી શકાય છે.
મિસરી શરીરમાંથી ઝેરી પદાર્થોનો નિકાલ કરે છે. તેથી તેલ મીઠાશ તો આપે જ છે પરંતુ સાથે જ ઔષધિ જેવું કામ કરે છે. મિસરી માં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, ફાઇબર, પોટેશિયમ જેવા તત્વો હોય છે જે શરીરને ફાયદો કરે છે.
મિસ્ત્રીને બનાવતા પહેલા શેરડીના રસને ગરમ કરવામાં આવે છે. ત્યાર પછી તેને મોટી કુંડી માં રાખી અને તેને દૂધથી સાફ કરવામાં આવે છે. તે સૂકાઈને સફેદ થઈ જાય પછી ગરમ પાણીમાં તેને ઓગાડી ને મિસરી તૈયાર કરવામાં આવે છે.
મિસ્ત્રી નો ઉપયોગ શરબત, દૂધપાક, લાડુ જેવી મીઠાઈમાં કરી શકાય છે. મિસ્ત્રી બનાવવામાં કેમિકલ નો ઉપયોગ પણ થતો નથી જેના કારણે તે ખાંડ કરતાં વધારે ગુણકારી છે.
ખાંડને બદલે તમે coconut sugar પણ વાપરી શકો છો. આ ખાંડ નારિયેળની દાંડી અને ફૂલના રસમાં તૈયાર કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસ મટે છે અને શરીરની અન્ય લાભ પણ થાય છે.
આ ખંડ બનાવવા માટે સૌથી પહેલા નાળિયેર નું મીઠું પાણી એકત્ર કરવામાં આવે છે. પછી તેને ઉકાળી અને જમાવી દેવામાં આવે છે. મિસ્ત્રી ની જેમ જ આ ખાંડને પણ રિફાઇન્ડ કર્યા વિના તૈયાર કરવામાં આવે છે જેથી તેના કુદરતી તત્ત્વો જળવાઈ રહે છે.
આ ખાંડ પણ દરેક વસ્તુમાં ઉપયોગમાં લઇ શકાય છે અને તે આડઅસર કરતી નથી. તેમાં રહેલું પોટેશિયમ ઝિંક કેલ્શિયમ શરીરને અન્ય રોગો સામે લડવાની શક્તિ આપે છે.
મીઠું ઝેર ગણાતી ખાંડના વિકલ્પ તરીકે ડેટ શુગર પણ ઉપયોગમાં લઇ શકાય છે. આ ખાંડને ખજૂરમાંથી તૈયાર કરવા આવે છે. તમે ભોજન થી લઈને મીઠાઈ સુધીની દરેક વસ્તુમાં ખજૂર માંથી બનેલી ખાંડનો ઉપયોગ કરી શકો છો. આ ખાંડ પણ શરીરને નુકસાન કરતી નથી અને ફાયદો કરે છે.
આ ખાંડ ની મદદથી તમે મીઠાઈઓ પણ બનાવી શકો છો અને તે સ્વાદમાં પણ સ્વાદિષ્ટ લાગે છે. જોકે કેટલીક મીઠાઈમાં તો તમે ખજૂરનો ઉપયોગ મીઠાશ આપતા તત્વ તરીકે કરી શકો છો.