મેથી સ્વાદે કડવી હોય છે પણ તેમાં અઢળક ગુણ હોય છે. આયુર્વેદમાં મેથીને ભૂખ લગાડનાર, પાચન સુધારનાર, હૃદય માટે લાભકારી કહેવામાં આવી છે. સુકી મેથીની જેમ તેની ભાજી પણ વાયુનાશક, સોજો દુર કરનાર, પિત્તશામક અને પાચન કરનાર છે.
મેથીમાં પ્રોટીન, કાર્બોહઈડ્રેટ, ચરબી, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન પુરતા પ્રમાણમાં હોય છે. તેને પલાળીને લેવાથી તેના ફાયદા પણ અનેકગણા વધી જાય છે. મેથીના દાણાનું સેવન કરવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. તેનું સેવન કરવાથી પેટનો ગેસ, એસિડીટી મટે છે.
પલાળેલી મેથી ખાવાથી કિડની પણ સ્વસ્થ રહે છે. જો વાળ રુક્ષ થઈ ગયા હોય તો મેથીને બે કલાક પાણીમાં પલાળી લેવાથી વાળ સોફ્ટ થાય છે અને માળાનો ખોડો દુર થાય છે.
રાતના સમયે મેથીને પાણીમાં પલાળી સવારે તેને લેવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. મેથીના પલાળેલા બીને વાટીને હરસ પર લગાવવાથી હરસની પીડા મટે છે.
જો ભૂખ ન લાગતી હોય તો પલાળેલી મેથી ખાવાથી ભૂખની સમસ્યા દુર થાય છે. મેથીનું સેવન કરવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે અને ચરબી ઓગળે છે.
મેથીના દાણાને પલાળીને 1 મહિના સુધી પીવાથી કિડનીની પથરી તુટીને બહાર નીકળી જાય છે. શરીરમાં લોહીની ઊણપ હોય તો પલાળેલી મેથી લેવાથી શરીર નિરોગી રહે છે અને રક્ત બને છે.
એનિમિયાને મેથીના દાણા દુર કરે છે. રોજ પલાળેલી મેથીનું સેવન કરવાથી રક્ત શુદ્ધ થાય છે. મેથીના દાણા આંખની નબળાઈ પણ દુર કરે છે. તે વિટામીનથી ભરપુર હોય છે જે આંખનું તેજ વધારે છે સાથે જ આંખના નંબર પણ ઉતારે છે.
પલાળેલી મેથીમાં એન્ટી બેક્ટીરીયલ ગુણ હોય છે જે શરીરનું વાયરલ રોગો સામે રક્ષણ કરે છે. તેમાં રહેલું ફાયબર શરીરમાંથી કચરો બહાર કાઢે છે. તેનાથી કોલોન કેન્સર પણ મટે છે. જેમને પાચનક્રિયા ખરાબ હોય તે નિયમિત ભૂખ્યા પેટે પલાળેલી મેથી ખાય છે તો તેની પાચનક્રીયા સુધરે છે અને કબજિયાત મટે છે.
પલાળેલી મેથી ડાયાબીટીસના દર્દીઓ માટે પણ લાભકારી છે. તેનું પાણી પીવાથી શરીરમાં ગ્લુકોઝ ઘટવાની પ્રક્રિયા ધીમી પડે છે. તેનું ગરમ દૂધ સાથે સેવન કરવાથી પુરુષોની જાતીય શક્તિ વધે છે.
મેથીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે. પલાળેલી મેથી હાર્ટને હેલ્ધી રાખે છે. રોજ સવારે મેથી ખાલી પેટ ખાવાથી ઘણા લાભ થાય છે.