આજના સમયમાં લોકોની જીવનશૈલી ખૂબ જ બદલાઈ ગઈ છે.. બદલાયેલી આ જીવનશૈલીની અસર લોકોના સ્વાસ્થ્ય પર સૌથી વધુ જોવા મળે છે. બહારનું ભોજન અને બેઠાડું જીવન ના કારણે કેટલાક ગંભીર નો લોકોને નાની ઉંમરમાં થઈ જાય છે. આવું જ એક રોગ છે યુરિક એસિડ વધવાનો.
જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય છે તો સાંધામાં અસહ્ય દુખાવો થાય છે. જેમ શરીરમાં યુરિક એસિડ વધતું જાય તેમ તેમ સ્નાયુ નો દુખાવો અને સોજો પણ વધવા લાગે છે. ગઠીયો વા પણ કહેવાય છે.
જ્યારે આપણે શરીરમાં કોઈ ખાસ પ્રકારનું ભોજન જાય છે ત્યારે તેમાંથી યુરિક એસિડ બને છે. સામાન્ય રીતે કિડની યુરિક એસિડ ફિલ્ટર કરીને શરીરમાંથી બહાર કાઢી નાખે છે.
પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેમના શરીર માંથી યુરિક એસિડ નીકળતું નથી અને તે શરીરના સાંધામાં જામવા લાગે છે. જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય છે ત્યારે સાંધામાં અસહ્ય દુખાવો થાય છે.
યુરિક એસિડ વધારે રહેતો ડાયાબીટીસ અને કીડની ફેઈલ થવાનું જોખમ પણ વધે છે. એક સંશોધન અનુસાર યુરિક એસિડ ની તકલીફ આયુષ્યના 11 વર્ષ ઓછા કરી દે છે. એટલા માટે જ યુરિક એસિડ ની તકલીફ હોય તો તેની સારવાર જેમ બને તેમ જલ્દી કરવી જોઈએ.
તેવામાં આજે તમને એક એવા ફળ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડ કંટ્રોલ માં આવે છે અને તે પણ દવા વિના. આ ફળ છે કાચું પપૈયું.
કાચું પપૈયું ખાવાથી યૂરિક એસિડને કંટ્રોલમાં કરી શકાય છે. કાચા પપૈયામાં એવા તત્વ હોય છે જે શરીરમાં જામેલા ક્ષાર રૂપી યુરીક એસિડને શરીરમાંથી બહાર કાઢે છે. સાથે જ લોહીમાં યુરિક એસિડ બનતું પણ અટકાવે છે.
કાચું પપૈયું ખાવાથી ભોજન પણ સરળતાથી પચી જાય છે. તેથી તેને યુરિક એસિડ ની તકલીફ હોય તે કાચું પપૈયું ખાવું જ જોઈએ.કાચા પપૈયાની જેમકે ડાપણ યુરિક એસિડ ના દર્દીઓ માટે લાભકારી છે. કેળા ખાવાથી પણ ડાયાબિટીસ અને યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે.
કાચ પપૈયાનો ઉપયોગ કરવા માટે પપૈયા ના બીજ કાઢીને તેને બે લીટર પાણીમાં ઉકાળવા માટે મૂકો. પાણી બરાબર ઉપડી જાય પછી તેને ગેસ પરથી ઉતારી ઠંડું કરી ગાળી લેવું.. હવે આ પાણીને દિવસ દરમિયાન પીવાનું રાખો.
યુરિક એસિડની સમસ્યાને વધારે હોય તે પપૈયાની ચા બનાવીને પણ પી શકે છે.. પપૈયાની ચા બનાવવા માટે સો ગ્રામ કાચા પપૈયાના ટૂકડાને ત્રણ કપ પાણીમાં ઉકાળો.
પાણી ઉકળી જાય પછી તેમાં ચા પત્તી નાખીને તેને ચાની જેમ ઉકાળો અને ગાળી ને તેનું ગરમ ગરમ સેવન કરો. આ ચા પીવાથી વધેલું યુરિક એસિડ કંટ્રોલ માં આવે છે