આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે જેને આયુર્વેદમાં દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આવી જ એક વસ્તુ છે સુવા. સુવાનો ઉપયોગ કેટલીક સમસ્યાઓમાં દવા તરીકે થાય છે.
પેટનો દુખાવો હોય તો દર્દી સુવા બરાબર ચાવીને ખાય તો પેટ નો દુખાવો દૂર થાય છે. જમ્યા પછી ચાવી ને સુવા ખાઈ જવાથી સવારે પેટ સાફ આવે છે અને પાચનક્રિયા પણ ઝડપી બને છે.
આજ કારણ છે કે ગર્ભવતી મહિલાઓને પ્રસૂતિ પછી સુવાનું પાણી આપવામાં આવે છે. કારણ કે આ પાણી પીવાથી મહિલાને કોઈપણ પ્રકારનો રોગ થતો નથી. આ સિવાય સુવાનું પાણી પીવાથી ધાવણ બરાબર આવે છે અને બાળક નો વિકાસ સારી રીતે થાય છે.
જો નાના બાળકની ઉલટી ઉબકા કે હેડકી બંધ થતી ન હોય તો સુવા દાણાને પાણીમાં પલાળી રાખવા અને પછી તે પાણી ગાળીને બાળકને પીવડાવવું. આ પાણી પીવાથી બાળકની પાચનક્રિયા પણ સુધરે છે અને શરીરમાં રહેલા બેક્ટેરિયા નિકળી જાય છે.
જો કોઈ વ્યક્તિ ને ઝાડા થઈ ગયા હોય અને કોઈ પણ રીતે બંધ થવાનું નામ લેતા હોય તો એક વાટકી દહીંમાં સુવા અને મેથીનો પાઉડર ઉમેરીને ખાવાથી ઝાડા તુરંત જ મટે છે.
પેટ ભારે ભારે થઇ જાય અને ગેસ જેવું લાગે ત્યારે સુવા ખાવાથી પેટનો ગેસ છૂટો પડે છે અને પેટ પણ હળવું થાય છે.
મહિલાને જો ગર્ભાશય સંબંધી કોઈ સમસ્યા થઈ હોય તો સુવા ની પોટલી બનાવીને મહિલાના યોની માર્ગ પર મૂકી દેવાથી ખરાબ જંતુઓનો નાશ થાય છે.
પેટ સંબંધિત દરેક પ્રકારની સમસ્યાથી મુક્તિ મેળવવી હોય તો સુવાને થોડા શેકી ને થોડા ખાંડી તેના ફોતરા કાઢી નાખો. ત્યાર પછી તેમાં સિંધવ મીઠું ભભરાવીને મુખવાસ બનાવી લો. આમ કશું સેવન જમ્યા પછી કરવાથી પાચનશક્તિ સુધરે છે અને મોઢામાંથી આવતી દુર્ગંધ પણ દૂર થાય છે.
જો કોઈ વ્યક્તિને સાંધા કે ગઠિયાના દુખાવાની તકલીફ હોય તો સુવા, હિંગ, દેવદાર અને સિંધવને મિક્ષ કરીને ચૂર્ણ બનાવો. હવે તેમાં આકડાનું દૂધ ઉમેરીને લેપ બનાવી લો. હવે આ લેપને દુખતી હોય તે જગ્યાએ લગાવો. તેનાથી દુખાવો તુરંત મટે છે.