વર્તમાન સમયમાં લોકો આખો દિવસ કામમાં વ્યસ્ત રહે છે. પરંતુ આ કામ દરમ્યાન તેઓ સતત બેઠા હોય છે. આ સિવાય તેમના આહારમાં પૌષ્ટિક તત્વોની પણ ઊણપ હોય છે. કારણ કે વર્તમાન સમયમાં મોટાભાગના લોકો બહાર નું જમવાનું પસંદ કરે છે.
આવી સ્થિતિમાં જેમ જેમ ઉંમર વધે છે તેમ શરીરમાં કેલ્શિયમની ખામી સર્જાય છે. શરીરમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે છે તો તેની સીધી અસર હાડકા પર થાય છે.
આમ તો હવે શરીરના અંગ એટલે બીમારી થઈ ગઈ છે. તેથી શરીરમાં અનેક પ્રકારના દુખાવા થતા હોય છે. પરંતુ સૌથી વધારે વ્યક્તિને સતાવે છે ઘૂંટણ અને સાંધાનો દુખાવો.
ઘૂંટણ અને સાંધાના દુખાવા થવાનું મુખ્ય કારણ હોય છે કે બે હાડકાં વચ્ચેનું લુબ્રિકેન્ટ ઘટી જાય. જ્યારે ડુબલીકેટ ઘટી જાય છે ત્યારે બે હાડકાં વચ્ચે જગ્યા થઈ જાય છે જેના કારણે સાંધા અને ઘૂંટણનો દુખાવો થાય છે. જો આ દુખાવાની સારવાર ન કરવામાં આવે તો તકલીફ એટલી વધી જાય છે કે ઓપરેશન પણ કરાવવું પડે.
જેમની સાંધા અને ઘૂંટણનો દુખાવો હોય તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમને હાલમાં ચાલવામાં તકલીફ પડે છે સાથે જ તેઓ બેસી કે ઉભા પણ થઈ શકતા નથી. દુખાવો એટલો રહે છે કે રાત્રે ઊંઘ પણ બરાબર ન થાય.
આયુર્વેદ અનુસાર જો શરીરમાં વાયુ નું પ્રમાણ વધી જાય તો હાડકાં સંબંધિત સમસ્યા વધવા લાગે છે અને હાડકામાં અસહ્ય દુખાવો થાય છે. ત્યારે આ તકલીફને દૂર કરતાં એક ખાસ પ્રકારના લાડુ બનાવવાની રીત આજે તમને જણાવીએ. આ લાડુ નું સેવન રોજ કરવાથી સાંધા અને હાડકાંના દુખાવાથી રાહત મળે છે.
આ લાડુ બનાવવા માટે તલ 250 ગ્રામ, સૂંઠનો પાવડર 30 ગ્રામ, અખરોટ અને જરૂર અનુસાર ગોળ ની જરૂર પડશે. લાડુ બનાવવા માટે પહેલા અખરોટનો પાવડર કરી લેવો. ત્યાર પછી ગોળનો પાયો બનાવીને તેમાં ઉપરોક્ત બધી વસ્તુ ઉમેરી દેવી.
આ લાડુ રોજ ભૂખ્યા પેટે સેવન કરવું. આ લાડુ ખાવાની શરૂઆત કરશો કે ધીરે ધીરે શરીરના બધા જ દુખાવા દૂર થવા લાગશે. ૩૦ દિવસમાં જ તમારે દુખાવાની કોઈપણ પ્રકારની દવા લેવાની જરૂર નહીં પડે. ૩૦ દિવસ સુધી આ લાડુ લેવાનું નિયમિત યાદ રાખવું.