ગોખરુ એક પ્રકારની ઔષધિ છે. જેમાં નાના પીડા ફૂલ આવે છે અને તેનું ફળ કાંટા જેવું હોય છે. આયુર્વેદ અનુસાર ગોખરું એવી જડીબુટ્ટી છે જેનો ઉપયોગ વર્ષોથી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવા માટે દવા તરીકે કરવામાં આવે છે.
ગોખરુનું સેવન કરવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. આજે તમને ગોખરુના આવા જ ફાયદા વિશે જાણકારી આપીએ.જાતીય સમસ્યાઓ ના ઈલાજ માટે ગોખરુ નો ઉપયોગ ફાયદાકારક છે.
જોકે ગોખરું નો પ્રયોગ નિષ્ણાંતની સલાહ અનુસાર જ કરવો કારણ કે તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. ગોખરુથી થતા ફાયદાઓ વિશે જાણવું પણ એટલું જ જરૂરી છે.
ગોકુળમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, વિટામિન સી, જેવા પોષક તત્વો હોય છે. તે બળતરા વિરોધી ગુણધર્મો પણ ધરાવે છે જેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ગોખરું શરીર ની સહન શક્તિ ને વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
વધતી ઉંમરની સાથે જો કમરના દુખાવા, સાંધાના દુખાવાની તકલીફ સતાવતી હોય તો નિયમિત સવારે અને સાંજે પીવો જોઇએ તેનાથી દુઃખાવો મટે છે.
ગોખરુ નો ઉપયોગ કરવા માટે પણ ફાયદાકારક છે. તેના અર્કનો ઉપયોગ કરીને ઘણી beauty cream પણ બને છે. ગોખરુ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ધરાવે છે જે ત્વચાના વિકારોને દૂર કરે છે અને ત્વચાને સુંદર બનાવી રાખે છે.
પુરૂષોને સતાવતી નપુંસકતાની સમસ્યાને પણ ગોખરુ દૂર કરી શકે છે. આ સમસ્યાથી પીડિત પુરુષોને સેક્સ સમયે તકલીફ થતી હોય છે. તેવામાં સેવન કરવાથી પુરૂષોની આ સમસ્યા દૂર થાય છે. નિષ્ણાતોના મતે ગોખરુ મા એવા તત્વ હોય છે જે ટેસ્ટોસ્ટરોન નું સ્તર વધારે છે.
જો કોઇ કારણોસર નાક કે કાનમાંથી લોહી નીકળતું હોય તો તે વ્યક્તિને ગોખરુ ખવડાવવું જોઈએ. તેના માટે 250 મિલી દૂધ માં 100 ગ્રામ ગોખરુનું કાઢીને દર્દીને પીવડાવવું.
તેનાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે.જે લોકોને પથરીની તકલીફ હોય તેમણે પણ ગોખરું સેવન કરવું જોઈએ. ગોખરુનું સેવન કરવાથી પથરી કુદરતી રીતે તૂટી અને બહાર નીકળી જાય છે.
તેના માટે પાંચ ગ્રામ ગોખરુનું ચૂર્ણ મધમાં એક ચમચી મધ ઉમેરીને દિવસમાં ત્રણ વખત લેવું જોઈએ. આ સાથે જ બકરીના દૂધમાં સેવન કરવુ જોઈએ. થોડા દિવસ આ પ્રયોગ કરવાથી પથરી બહાર નીકળી જાય છે.