જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમના માટે સવારે કષ્ટદાયક હોય છે. તેમાં પણ જો અનેક પ્રયત્નો છતાં પણ પેટ સાફ ન આવે તો આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ નો અભાવ રહે છે. સાથે જ પેટમાં દુખાવો પેટ ફૂલી જવું એસીડિટી જેવી તકલીફ પણ થાય છે. ટૂંકમાં કહીએ તો કબજિયાત પેટને લગતી અનેક સમસ્યાઓનું કારણ હોય છે.
સાથે જ કબજિયાત એવી બીમારી થઈ ગઈ છે જે દરેક ઘરમાં એક વ્યક્તિ ને તો હોય જ. આજે તમને વર્ષો જુની કબજિયાતથી પણ એક વારમાં દૂર કરી દે તેવો સરળ અને અસરકારક ઉપાય જણાવીએ.
આ ઉપાય કરવાથી સવારે પેટ સારી રીતે સાફ આવી જાય છે. જો તમને લાંબા સમયથી કબજિયાત હોય તો તમે આ ઉપાય થોડા દિવસો કરશો તો કબજિયાતથી કાયમી મુક્તિ મળી જશે.
આ ઉપાય કરવા પહેલા કેટલીક આદતો માં ફેરફાર કરવો જરૂરી છે. જેમ કે જમ્યા પછી સીધા સૂઈ જવું નહીં.. જમ્યા પછી તુરંત જ સૂઈ જવાથી કબજિયાત થાય છે.
એટલે જમ્યા પછી શક્ય હોય તો થોડું ચાલવાનું રાખો. આ સિવાય જો તમને કબજિયાત ના કારણે કોઈપણ વસ્તુ ખાવાની ઈચ્છા થતી ન હોય તો આ ઉપાય કરવાથી તમારી સમસ્યા પણ દૂર થઈ જશે.
આ ઉપાય કરવાથી તમારી એસીડીટી તને પાચન સંબંધી સમસ્યાથી પણ કાયમી મુક્તિ મળી જશે. આ ઉપાય કરવા માટે તમારે એરંડાના તેલની જરૂર પડશે.
એરંડા નું તેલ લેવા રેચક ગુણધર્મો હોય છે કે કબજિયાતથી તુરંત જ રાહત આપે છે. એરંડા નું તેલ આંતરડાને બરાબર રીતે સાફ કરી નાખે છે.. તેથી તેનો ઉપયોગ કરવાથી વર્ષો જૂની કબજિયાત પણ મટી જાય છે. તો ચાલો હવે તમને જણાવીએ કે કબજિયાતથી મુક્તિ મેળવવા માટે તમારે એરંડાના તેલનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે.
એરંડા નું તેલ તમારે રાત્રે ઉપયોગમાં લેવાનું છે.. તેના માટે સૌથી પહેલા 1 ગ્લાસ દૂધને ગરમ કરવું ત્યાર પછી તેમાં બે ચમચી એરંડાનું તેલ ઉમેરી દેવું. હવે આ દૂધ હૂંફાળું ગરમ હોય ત્યારે જ તેને પી જવું. થોડીવાર પછી ઊંઘી જવું. સવારે તમારું પેટ બરાબર સાફ આવી જશે અને શરીરમાં સ્ફૂર્તિ પણ રહેશે.