વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી એટલી ખરાબ થઈ ગઈ છે કે નાની ઉંમરમાં લોકો ની નસો બ્લોક થવા લાગે છે. ત્યારે આજે તમને નસોનું બ્લોકેજ ખોલવાનો અને હાર્ટની સમસ્યાને દૂર કરવાનો એક ઘરગથ્થુ ઈલાજ જણાવીએ. આ ઔષધીનો ઉપયોગ કરીને નસોનું બ્લોકેજ તો દૂર કરી શકાય છે સાથે જ એનાથી ઘણા શારીરિક ફાયદા પણ થાય છે.
આયુર્વેદમાં ઔષધિને હૃદયરોગના દર્દીઓ માટે અમૃત સમાન ગણવામાં આવી છે. જે લોકોને ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થઈ ગયું હોય અને ધમની બ્લોક થતી હોય તેમના માટે તો આ ઔષધિની એક ચમચી જ કાફી છે.
આ ઔષધી રક્તને શુદ્ધ કરવાનું પણ કામ કરે છે. સાથે જ ડાયાબિટિશના દર્દીઓ માટે પણ આ ઔષધી વરદાનરૂપ છે. શરીરની એક નહિ પણ અનેક ગંભીર સમસ્યાને દૂર કરતી આ ઔષધી છે અર્જુનની છાલનું ચૂર્ણ.
આયુર્વેદ અનુસાર અર્જુનની છાલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.. અર્જુનની છાલનું ચૂર્ણ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય માસિક ધર્મ દરમિયાન મહિલાઓને જે સમસ્યાઓ થાય છે તેમાં પણ આ ઔષધી લાભ કરે છે.
અર્જુનની છાલનું ચૂર્ણ નિયમિત રીતે લેવાથી મહિલાઓને માસિક સંબંધિત દરેક સમસ્યા દૂર થાય છે. સાથે જ જો કોઈ નું હાડકું તૂટી ગયું હોય તેવા લોકો આ ચૂર્ણનો ઉપયોગ કરે તો હાડકા મજબુત થાય છે.
જેનું કોઈ શારીરિક રીતે નબળા હોય અથવા તો શરીરમાં સતત થાક રહેતો હોય તેવા લોકોએ ત્રણ મહિના સુધી અર્જુનની છાલનું ચૂર્ણ લેવું જોઈએ.. આ પ્રયોગ કરવાથી શરીરમાં ઘોડા જેવી તાકાત આવી જાય છે. ઔષધિ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે.
આ ઔષધીનો નિયમિત રીતે ઉપયોગ જે કરે છે તેના શરીરમાંથી અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. જો શરીરમાં કોઈ ઈજા થઈ હોય અને તે જગ્યાએ રૂઝ આવતી ન હોય તો ત્યાં અર્જુનની છાલનું ચૂર્ણ નો લેપ બનાવીને લગાડવાથી રાહત મળે છે.
જે લોકોને વારંવાર કફ થઈ જતો હોય તેવા લોકો માટે આ ઔષધી અકસીર દવા છે. કફ અને પિત્ત ના દર્દીઓ માટે ઔષધીની લાભ કરે છે. અર્જુનની છાલનું ચૂર્ણ હાર્ટ એટેક આવ્યો હોય તેવા દરદી માટે પણ ખૂબ જ સારું છે.
તેનું સેવન કરવાથી હૃદય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ ચામડીના રોગ પણ મટે છે કારણ કે અર્જુનની છાલનું ચૂર્ણ રક્તને શુદ્ધ કરે છે.