પ્રાચીન સમયથી ગિલોયનો એક ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં તેને અમૃત સમાન ઔષધી કહેવામાં આવી છે કારણ કે તેનો ઉપયોગ કરવાથી શરીરની ગંભીરમાં ગંભીર બીમારી પણ દૂર થઇ જાય છે.
પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ તેનો ઉપયોગ કરતા તેથી જ તેઓ વર્ષો સુધી નિરોગી જીવન જીવતા. આ ઔષધિ છે ગિલોય. ગીલોઈ ની ડાળી નો ઉપયોગ કરીને શરીરની અનેક બીમારીઓને દૂર કરી શકાય છે. તેના પાંદડા, ફળ અને મૂળ ઔષધી તરીકે ઉપયોગમાં આવે છે.
ગીલોઈ નો ઉપયોગ કરવાથી પાચનક્રિયા મજબૂત થાય છે. તેનું સેવન કરવાથી પાચન સારી રીતે થાય છે અને અપચો, ગેસ, કબજીયાતથી રાહત મળે છે.
સાઇલન્ટ કિલર એવી ડાયાબિટીસની બીમારી સામે પણ ગીલોઈ લડવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઓછું થાય છે અને ડાયાબિટીસથી રાહત મળે છે.
જે લોકોની સંધિવા ગઠિયા રોગ હોય અને તેઓ દુઃખાવાથી પરેશાન થઈ ગયા હોય તો ગીલોયનું સેવન કરવું જોઈએ. તેમાં એવા ગુણ હોય છે જે શરીરની બળતરા અને સોજાને દૂર કરે છે.
રોજ ગીલોઈ નો રસ કાઢીને પીવાથી આંખની સમસ્યા અને આંખના નંબર ઊતરે છે. ગીલોયનો ઉપયોગ કરવાથી દરેક રોગ સામે લડવાની શરીરને શક્તિ મળે છે કારણ કે તેમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.
કોરોના જેવી ચેપી અને જીવલેણ બીમારી સામે પણ રક્ષણ કરે છે.